‘સમન્વય’ – રીચાર્જ થવાની મોસમ

ખરેખર તેના આયોજકોએ તેના વિશે સાચું જ કહ્યું છે… સમન્વય ખરેખર રીચાર્જ થવાની મોસમ જ છે…  અમે અમદાવાદીઓ ખરેખર નસીબદાર છીએ કે અમને આ લ્હાવો દર વર્ષે મળે છે!!!

જે લોકો ‘સમન્વય’  વિશે નથી જાણતાં તેઓ માટેઃ ‘સમન્વય’  એ ગુજરાતના અગ્રણી દૈનિક ગુજરાત સમાચાર અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે યોજાતો કાવ્ય-સંગીત સમારોહ છે જે દર વર્ષે વેલેન્ટાઈનની સુહાની મોસમમાં યોજાય છે… સાહિત્યના રસિયાઓને રસતરબોળ કરતાં આ કાર્યક્રમના આયોજકોમાંના એક અંકિત ત્રિવેદી છે જેમના વ્યક્તિત્વથી તો I guess કોઈ સાહિત્યરસિક વ્યકતિ અજાણ નહિ જ હોય…

તા. 13મી ફેબ્રુઆરી, શુક્રવારના રોજ અમદાવાદના કાશીરામ અગ્રવાલ હૉલ ખાતે શ્રી રાસબિહારી દેસાઈ, શ્રી વિક્રમ પટેલ, શ્રી શ્રેયાંસ શાહ, શ્રી સુરેશ દલાલ, શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય, શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ, શ્રી ગૌરાંગ વ્યાસ વગેરે અનેક મહાનુભાવોની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમનો શુભારંભ થયો. આ પ્રસંગે પ્રસિદ્ધ ગાયિકા શ્રી કવિતા કૃષ્ણમૂર્તિએ પણ હાજરી આપી હતી…

પાંચ દિવસ ચાલનારા આ સંગીતોત્સવનો  આજે ચોથો દિવસ છે. આ સમારોહના  પ્રત્યેક દિવસની રસલ્હાણી માણવી હોય તો ક્લિક કરો

http://www.gujaratsamachar.com/gsa/20090216/guj/gujarat/news10.html

Published in:  on February 16, 2009 at 12:20 pm Comments (1)

The URI to TrackBack this entry is: http://shabdalay.wordpress.com/2009/02/16/%e0%aa%b8%e0%aa%ae%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%af-%e0%aa%b0%e0%ab%80%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9c-%e0%aa%a5%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b8/trackback/

RSS feed for comments on this post.

One Comment Leave a comment.

  1. તમે નસીબદાર છો.


Leave a Comment